પવાર સાહેબે મને BJP સાથે વાત કરવા કહ્યું...: કાકાને લઈને અજીત પવારે કર્યો મોટો દાવો
- 20 Apr, 2024
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપી પ્રમુખ અજીત પવાર પોતાના રાજકારણને લઈને હાલ સમાચારમાં છે. હવે તેમણે પોતાની દિનચર્યાનો ખુલાસો કરતા જણાવ્યું કે તેઓ 5 વાગે જાગી જાય છે અને 6 વાગ્યાથી પોતાનું કામ શરૂ કરે છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે પવાર સાહેબે મને પ્રફુલ પટેલ અને જયંત પાટિલને બીજેપી સાથે વાત કરવા કહ્યું હતું. હું તમને એ પત્ર બતાવવા તૈયાર છું.
અજીત પવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે હું સવારે 6 વાગ્યાથી કામ શરૂ કરી દઉં છું. આ લડાઈ પવાર Vs પવાર નથી. જોકે આ મુકાબલો મોદી Vs રાહુલ ગાંધીનો છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM બન્યા. અમે તેમના માટે વોટ માંગી રહ્યાં છે. તેના પગલે અમને ફન્ડ્સ મળ્યું. પરિવારની લડાઈ મીડિયા જોઈ જ રહ્યું છે.
એ વાત ખોટી છે કે મને અમિત શાહે કહ્યું કે પત્નીને ઉતારો એટલે અમને વિશ્વાસ થશે. મારા ઉમેદવારોને મેં ચૂંટ્યા છે. EDનો ડર દેખાડીને મને તોડવામાં આવ્યો છે, એ આરોપ પણ ખોટો છે. પવાર સાહેબે મને, પ્રફુલ પટેલ અને જયંત પાટિલને બીજેપી સાથે વાતચીત કરવા કહ્યું છે. હું તે પત્ર બતાવવા તૈયાર છું.
આ ખોટી ઈન્કવાયરી બંધ થઈ છે. હાલ પણ બધા પર ઈન્કવાયરી ચાલી રહી છે. મોદીના વિઝનના પગલે અમે નક્કી કર્યું છે કે તેમની સાથે જવું જોઈએ. બીજેપી એનસીપીને ખત્મ કરવા માંગે છે, આ આરોપ ખોટો છે. મને ખબર નથી કે 400ની પાર જવાશે કે નહીં, જોકે કોશિશ ચાલી રહી છે. પીએમ ઘણી રેલીઓ કરી રહ્યાં છે. હું સીએમ બનવા માંગુ છું, જો મને નંબર મળ્યા, લોકોએ સપોર્ટ કર્યો તો હું જરૂર સીએમ બનીશ. અમે જે લાઈન લીધી છે, તે લાઈન શરદ પવારને યોગ્ય લાગશે તો સાથે આવવામાં મને કોઈ મુશ્કેલી નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ